Hemanta Biswas Sharma : રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ પનૌતી શબ્દનો ઉપયોગ કર્યો હતો. વર્લ્ડ કપ મેચમાં ભારતીય ટીમની હાર બાદ આ શબ્દ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાનો કેન્દ્ર બન્યો. પનૌતી શબ્દ ટ્રેન્ડિંગમાં ચાલતો હતો.
Hemanta Biswas Sharma
આ શબ્દને લઈ માત્ર સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ચાલી રહી હતી પરંતુ આ શબ્દની ચર્ચા મીડિયામાં ત્યારથી થઈ જ્યારે રાહુલ ગાંધીએ જનસભાને સંબોધતા આ શબ્દનો પ્રયોગ કર્યો. તે બાદ આ મામલે રાજનીતિ પણ ગરમાઈ. રવિશંકર પ્રસાદે તેમજ દિગ્વિજય સિંહે આ મામલે નિવેદન આપ્યું હતું ત્યારે હવે આ મુદ્દામાં આસામના મુખ્યમંત્રીએ પણ ઝંપલાવ્યું છે.
Table of Contents
મેચમાં મળેલી હારને લઈ રાહુલ ગાંધીએ આપ્યું હતું નિવેદન
ફાઈનલ મેચ સમાપ્ત થયે અનેક દિવસો વીતિ ગયા પરંતુ પનોતી શબ્દને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. રમતના નિષ્ણાતો આ પગલા માટે ટીમ ઈન્ડિયાની નબળાઈઓ અને ઓસ્ટ્રેલિયાની શક્તિઓને જવાબદાર માની રહ્યા છે. પરંતુ રાજનીતિના જાણકાર આને અલગ જ એન્ગલમાં લઈ જવા માગતા હોય તેવું લાગે છે. પનોતી શબ્દ સોશિયલ મીડિયા પર તો ટ્રેન્ડમાં હતું પરંતુ આ શબ્દે રાજનીતિને ગરમાવી છે. જનસભામાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ કહ્યું કે ‘પનૌતી ફાઇનલમાં હારી ગઈ’. તો હવે ભાજપે ટીમની હાર માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી.
આસામના મુખ્યમંત્રી Hemanta Biswas Sharmaએ કહી આ વાત
જે દિવસે મેચ હતી તે દિવસે ઈન્દિરા ગાંધીની જન્મજયંતી હતી. આ વાતને ભાજપના નેતા અને આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્માએ જોડી દીધી. મુખ્યમંત્રીનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે “ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ હતો, અમે દરેક મેચ જીતતા હતા, પરંતુ ફાઇનલમાં હારી ગયા હતા. પછી મેં આવીને જોયું કે કયો દિવસ હતો, કેમ હારી ગયા? મેં જોયું, વર્લ્ડકપની ફાઈનલનો એ દિવસ હતો જે દિવસે ઈન્દિરા ગાંધીનો પણ જન્મદિવસ હતો. તેથી જ્યારે ઈન્દિરા ગાંધીના જન્મદિવસે વર્લ્ડ કપની ફાઈનલ યોજાઈ હતી, ત્યારે દેશ હારી ગયો હતો.”
મુખ્યમંત્રીએ બીસીસીઆઈને આપી આ સલાહ!
વધુમાં તેમણે કહ્યું કે “હું બીસીસીઆઈને કહેવા માંગુ છું, જ્યારે તમે વર્લ્ડ કપની ફાઈનલ કરો છો, ત્યારે હિસાબ રાખજો. તે દિવસને ગાંધી પરિવાર સાથે જોડાયેલો ન હોવો જોઈએ.નહીં તો દેશ હારી જશે. તમે લોકો પણ જુઓ, જે દિવસે ફાઈનલ થઈ. તમે લોકો પણ ગૂગલ કરો અને જુઓ, તે દિવસે ઈન્દિરા ગાંધીનો જન્મદિવસ હતો. એ જ ઈન્દિરા ગાંધી જેણે દેશમાં ઈમરજન્સી લાવી હતી.”
પ્રિયંકા ગાંધીએ પણ કર્યા શાબ્દિક પ્રહાર
તો બીજી તરફ કોંગ્રેસે પણ વળતો જવાબ આપ્યો છે. જનસભા દરમિયાન પ્રિયંકા ગાંધીએ આને લઈ નિવેદન આપ્યું હતું. મહત્વનું છે કે આ શબ્દને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે
Hemanta Biswas Sharma
હિમંત વિશ્વ શર્મા : જે હાલમાં આસામના મુખ્ય પ્રધાન છે તેમણે 2001 થી 2015 સુધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ટિકિટ પર આસામના જલુકબારી મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે અને મે 2016 સુધી ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે સેવા આપી છે . 2016 માં, શર્મા આસામ વિધાનસભા ચૂંટણી જીત્યા પછી આસામના કેબિનેટ મંત્રી બન્યા. 2016 માં, તેમને ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા નોર્થ ઇસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ (NEDA) ના વડા બનાવવામાં આવ્યા હતા. હેમંત બિશ્વા શર્મા આસામના આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે . શર્માએ 7 જૂન 2001ના રોજ રિનીકી ભુયા સરમા સાથે લગ્ન કર્યા, જેની સાથે તેમને એક પુત્ર – નંદિલ બિશ્વા શર્મા [3] અને એક પુત્રી – સુકન્યા સરમા છે.
વર્ષ 2021 માં આસામમાં ભાજપ સરકારની રચના પછી, હિમંતા વિશ્વ શર્મા હાલમાં આસામના મુખ્યમંત્રી છે . તેમણે 10 મે 2021ના રોજ આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
હિમંત વિશ્વ શર્મા | |
---|---|
આસામના મુખ્યમંત્રી | |
પોસ્ટ કર્યું | |
10 મે 2021 ના રોજ ઓફિસ સંભાળો | |
આસામ વિધાનસભાના સભ્ય | |
પોસ્ટ કર્યું | |
ઓફિસ ગ્રહણ 2001 | |
પૂર્વા અધિકારી | ભૃગુ કુમાર ફુકન |
મતવિસ્તાર | જાલુકબારી |
નાણા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, PWD, પરિવર્તન અને વિકાસ મંત્રી (આસામ) | |
2011-2014 ની સ્થિતિ પુનઃસ્થાપિત | |
આસામ સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી | |
2006-2011 ની સ્થિતિ પુનઃસ્થાપિત | |
નાણા, આયોજન અને વિકાસ રાજ્ય મંત્રી | |
પોસ્ટ પુનઃસ્થાપિત 1 સપ્ટેમ્બર 2004 – જૂન 2006 | |
કૃષિ અને આયોજન અને વિકાસ રાજ્ય મંત્રી | |
પોસ્ટ પુનઃસ્થાપિત 7 જૂન 2002 – 31 ઓગસ્ટ 2004 | |
જન્મ | 1 ફેબ્રુઆરી 1969 (ઉંમર 54) જોરહાટ , આસામ |
રાષ્ટ્રીયતા | ભારતીય |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (1996–2015)ભારતીય જનતા પાર્ટી (2015-હાલ) |
જીવન સાથી | રિનીકી ભુયા શર્મા |
બાળકો | નંદીલ, સુકન્યા |
રહેઠાણ | ગુવાહાટી |
શૈક્ષણિક જોડાણ | કોટન કોલેજ ગુવાહાટી યુનિવર્સિટી |
બિઝનેસ | રાજકારણી |
વેબ સાઇટ | www.himantabiswasarma.com |
હોમ પેજ : અહિ ક્લિક કરો
Read more: Click here