Gujarat Weather Forecast: ગુજરાતમાં ભારે વરસાદ સાથે તોફાની વાવાઝોડાની આગાહી, 100-120 કિમીની ઝડપે પવન ફૂંકાશે

Gujarat Weather Forecast: મે મહિનાના અંતમાં ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું… 6 દિવસ બાદ બંગાળની ખાડીમાં આકાર પામશે ચક્રવાત.. ઓડિશા, મહારાષ્ટ્ર, ગુજરાત થશે વાવાઝોડાથી પ્રભાવિત

Gujarat Weather Forecast

ગુજરાતના ખેડૂતો માટે વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત પર એક મોટું વાવાઝોડું ત્રાટકી શકે છે. જી હા, ભારત સરકારના હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે આવતા અઠવાડિયા બંગાળની ખાડીમાં એક ભયાનક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને તેનાથી ઓડિશા, મહારાષ્ટ્ર તેમજ આપણું ગુજરાત પ્રભાવિત થશે. 26 મેથી 4 જૂન દરમિયાન ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે અને ભારે વરસાદ પણ પડશે. પશ્વિમ બંગાળમાં 100થી 120 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી આપવામાં આવી છે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદ સાથે ભારે તોફાનની આગાહી આપી છે. 22મી મેની આસપાસ બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાત આકાર લેશે અને મે મહિનાના અંતમાં કે જૂન મહિનાની શરૂઆતમાં આ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે. તો એક વાવાઝોડાની નુકસાનીનો સર્વે પૂરો નથી થયો ત્યાં તો ગુજરાત પર વધુ એક ચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે.

અંબાલાલ પટેલે કહ્યું

દેશમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયુ છે. આંદામાન-નિકોબાર ચોમાસું બેસી ગયું છે. પરંતુ તે પહેલા ગુજરાતમાં વાવાઝોડાની એન્ટ્રી થશે. મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે. આવતા અઠવાડિયે બંગાળની ખાડીમાં આ ચક્રવાત આકાર લેશે. તોફાની વાવાઝોડાથી ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રભાવિત થશે. અંબાલાલ પટેલે આગાહી કરી કે, 26મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા છે. પશ્ચિમ બંગાળમાં 100-120 કિમીની ઝડપે પવન ફૂંકાશે. જો આ ચક્રવાત ઓમાન તરફ ન ફંટાય તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે.

ઓમાન તરફ નહિ ફંટાય તો નુકસાની વેરશે

અંબાલાલ પટેલે કહ્યું કે, 26 મે ના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા છે. દક્ષિણ પૂર્વીય તટો ઉપર તેની ભારે અસર થશે. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા છે. આ સમયે 100-120 km ની ઝડપે પવન ફૂંકાશે. અરબસાગરમા મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં ચક્રવાતની અસર બનશે. 8 જૂન બાદ આરબસાગરમાં ચક્રવાતને કારણે વીજકરંટની શક્યતા પણ છે. આંધીવંટોળ સાથે વરસાદની ગતિવિધિ સાથે શક્યતા છે. ચક્રવાત જો ઓમાન તરફ ન ફાંટાય તો સાગરના માધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં, પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.

મે મહિનો એટલે ચક્રવાતનો મહિનો

આઈએમડીએ પણ કહ્યું કે, 22 મેની આસપાસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર હવાના નિમ્ન દબાણનો વિસ્તાર બનતો જોવા મળે છે. આનાથી કેરળમા ચોમાસું આગળ વધશે. પરંતું આ વેધર પેટર્ન પાછળથી ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવનાને નકારી શકાતી નથી. કારણ કે મેને ચક્રવાતની રચનાનો મહિનો ગણવામાં આવે છે તે ચક્રવાતમાં ફેરવાશે કે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે. જો ચક્રવાત રચાય છે તો ચોમાસાની પ્રગતિ પર તેની અસરની હજુ સુધી આગાહી કરી શકાતી નથી. કારણ કે તે તેના ટ્રેક અને તીવ્રતા પર નિર્ભર રહેશે.

Indian Railway Recruitment: રેલવેમાં લેખિત પરીક્ષા વગર શાનદાર નોકરીની સુવર્ણ તક, 200000 રૂપિયા પગાર મળશે

દક્ષિણ બંગાળની ખાડીમાં નીચા દબાણની સિસ્ટમ વિકસિત થશે

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રોપિકલ મેટિરોલોજીના વરિષ્ઠ આબોહવા વિજ્ઞાની રોક્સી મેથ્યુ કોલે જણાવ્યું હતું કે, “આગામી સપ્તાહે દક્ષિણ બંગાળની ખાડીમાં નીચા દબાણની સિસ્ટમ ચોક્કસપણે વિકસિત થશે. દરિયાની સપાટીનું તાપમાન ખૂબ ગરમ છે. તેથી દરિયાની સ્થિતિ અનુકૂળ છે. મેડન-જુલિયન ઓસિલેશન ટૂંક સમયમાં ત્યાં પહોંચી રહ્યું છે. જેના કારણે પવન પણ અનુકૂળ થઈ રહ્યો છે.